માનસિક શાંતિના સચોટ ઉપાયો

માનસિક શાંતિના સચોટ ઉપાયો

માનસિક અશાંતિ એ આજના સમયની બહુ મોટી અને અટપટી સમસ્યા છે. આ સમસ્યા માટે કારણભૂત ઘણાં બધાં પરિબળો પૈકીના અમુક પરિબળો આપણી પહોંચની બહાર કદાચ હોઈ શકે. પરંતુ, એ સિવાયની એવી ઘણી બાબતો છે કે જો સભાનપણે એના પર ધ્યાન આપવામાં તો અશાંતિનું વાતાવરણ ઘણું હળવું – કદાચ નગણ્ય – બની શકે. આ રહ્યા એ ઉપાયો. શક્ય તેટલા વધુ ને વધુ ઉપાયોનું અમલીકરણ કરવા પ્રયત્ન કરો.

 

(1)  પારકી પંચાત કરશો નહીં.

(22) જરૂરીયાતો ઘટાડો.

(2)  ઈશ્વરના કાર્યની ટીકા કરશો નહીં.

(23) કરવા યોગ્ય કામ જ કરો.

(3)  તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો.

(24) ખંતપૂર્વક સદગુણો કેળવો.

(4)  ઈશ્વરની ઈચ્છા તે જ મારી ઈચ્છા.

(25) આધ્યાત્મિક વિકાસ માટે પ્રયત્નશીલ રહો.

(5)  કડવા ઘૂંટડા ગળી જજો.

(26) હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનું વાંચન કરો.

(6)  જીવ બાળશો નહીં.

(27) આત્મોન્નતિમાં મચ્યા રહો.

(7)  તમારા કાર્યોના લોકો વખાણ કરે તેવું ઝંખશો નહીં.

(28) વિચાર, વાણી અને વર્તનમાં સામ્ય રાખો.

(8)  કોઈની ઈર્ષ્યા કરશો નહીં.

(29) માગ્યા વગર સલાહ ન આપો.

(9)  તમે તમારી જાતને સુધારો.

(30) દલીલબાજીથી દૂર રહો.

(10) જે અનિવાર્ય હોય તે સહન કરી લો.

(31) તમારું કામ અન્ય કોઈ પાસેથી કરાવવાની અપેક્ષા ન રાખો.

(11) તમારી ફરજ કદી ચૂકશો નહીં.

(32) ચિંતા ન કરો.

(12) રોજ ધ્યાનમાં બેસો.

(33) ઈશ્વરમાં અખંડ શ્રદ્ધા રાખો.

(13) સતત સત્કાર્યમાં પરોવાયેલા રહો.

(34) બધામાં ઈશ્વરદર્શન કરો.

(14) મનને નવરૂં રાખશો નહીં.

(35) તમારી જાતને પ્રભુને સમર્પિત કરી દો.

(15) અવરોધોથી અકળાશો નહીં.

(36) સ્થિતપ્રજ્ઞ બનો. મનને સમતોલ રાખો.

(16) વિરોધોનો સામનો કરજો.

(37) દુઃખોને પણ ઈશ્વરની પ્રસાદીરૂપ માનીને સ્વીકારી લો.

(17) કદી ચિંતા કરશો નહીં.

(38) એકની એક વાત લાંબો સમય ન કરો.

(18) નિસ્વાર્થ સેવા કરો.

(39) તમારી પોતાની વાત વારંવાર ન કર્યા કરો.

(19) સારાં-નરસાંનો વિવેક રાખો.

(40) કોઈને અંગત પ્રશ્નો ન પૂછો.

(20) દેખાદેખીથી દૂર રહો.

(41) ફ્લેક્સિબલ બનો.

(21) લાલચમાં ન લપટાવ.

(42) વાત ધીમેથી કરો, મીઠાશથી કરો.